Sunday 16 February 2020

આથમતિ સાંજ ના અજવાળાં .....

આથમતી સાંજ , શબ્દ કાને પડે એટલે એક અલગ જ દૃશ્ય   આંખે આવે , સામાન્યતઃ ટેકરીઓ વચ્ચે થી નીકળતા સૂર્ય ના કિરણો, નદી માં પડતા એના પ્રતિબિંબ અને પંખીઓ પણ જાણે વહેતી નદી ના સુર માં સુર પુરાવતા માળા તરફ પાછા વળતા હોય ... સમગ્ર દ્રશ્ય માં એક અદભુત આકર્ષણ હોય.

કલ્પના માત્ર થી મન  પ્રફુલ્લિત થઇ ઉઠે.  ..પણ  આ કોન્ક્રીટ ના જંગલ માં તો જાણે સાંજ શબ્દ જ ક્યાં ગાયબ થઇ ગયો છે... ઘડિયાળ ના કાંટા સાથે ચાલતો માણસ, એને પહોર ની ક્યાં ખબર રહે છે. હું પણ એમાં થી જ એક છું. જેને માટે આથમતી સાંજ એક માત્ર કલ્પન થી વિશેષ કશું નથી.

સાંજ વગર ની જિંદગી તો બની ગઈ છે પણ  સાંજ વગર નો જન્મારો ન હોય. એવી જ જીવન ની સંધ્યામાં પ્રવેશેલા એક દંપતી ના રોજ બરોજ ની વાત એટલે "આથમતી સાંજ ના અજવાળા" .

કદાચ તમને થશે કે એક દુઃખી જીવન ની વાર્તા હશે... પણ મેં વાર્તા ને શીર્ષક માંજ એ લાગણી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ "અજવાળા" શબ્દ નો પ્રયોગ કર્યો છે.

આશરે ૪૦ વર્ષ ના સંગાથ પછી પણ એક દંપતી કોઈ નવા પરણેલા યુગલ જેવું વર્તન કરતા હોય એની સાંજ માં અજવાળા જ હોય.

નાની નાની વાર્તા અને પ્રસંગો દ્વારા આ આથમતી સાંજ માં પણ અજવાળા કરતી આ રચના છે.

પ્રકરણ ૧... coming soon