Wednesday, 2 July 2014

સમય જરૂર બદલાય છે જીવન માં….

અચાનક ક્યારેક સમય બદલાય છે જીવન માં
પોતાના હતા તે પારકા થાય છે જીવન માં

કાશ કુદરત ની જેમ મોસમ આવતી જીવન માં
ક્યારે પાનખર ક્યારે વસંત ખબર પડે જીવન માં

મથી મથી મરે છે સુખ પામવા જીવન માં
પણ ખબર નહી ક્યાં થી દુ:ખ આવે છે જીવન માં

નથી જ્યારે કોઇ દીશા આગળ આવવા જીવન માં
ત્યારે અચાનક બંધ દ્વાર ખુલે છે જીવન માં

ના મથીશ પામવા કર્મ નુ ફળ તુ જીવન માં
બસ ફકત સત્કર્મ કરતા રહેવુ જીવન માં

મરી જઈશ મથી તો પણ નહી મળે જીવન માં
લખ્યુ લલાટે આપ મેળે મળી જશે જીવન માં
તેથી કહ્યુ છે સમય જરૂર બદલાય છે જીવન માં
રાખી વિશ્વાસ ઇશ્વર માં તરી જવાય છે જીવન માં

No comments:

Post a Comment